Election Commission: ભારતમાં ચૂંટણી એક મોટો તહેવાર છે, કેમ કે ભારત દુનિયામાં એકમાત્ર રાષ્ટ્ર છે જેને સૌથી મોટી લોકશાહી ગણવામાં આવે છે, અહીં દરેકને સમાન મતદાન સહિતના બીજા કેટલાય લોકશાહીના હક્કો મળેલા છે, દેશમાં દરેક વ્યક્તિ મતદાન કરવા માટે મતાધિકારનો ઉપયોગ કરે છે, પરંતુ ઘણીવાર બીજા રાજ્યમાં કે બીજી જગ્યાએ હોવાના કારણે મતાધિકારનો ઉપયોગ નથી કરી શકતો. આ સમસ્યાના સમાધાન માટે હવે ચૂંટણી પંચ મોટુ અપડેટ લઇને આવ્યુ છે. ભારતીય ચૂંટણી પંચ (Election Comission) ઘરેલુ પ્રવાસી મતદારો માટે રિમૉટ વૉટિંગ (Remote Voting)ની સુવિધા શરૂ કરવા જઇ રહ્યું છે. આની મદદથી પ્રવાસી મતદારોને મતદાન પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતાના ગૃહ રાજ્યમાં આવવાની જરૂર નહીં પડે. મતદારો ક્યાંયથી પણ મતદાન કરી શકશે.
ચૂંટણી પંચ આના માટે રિમૉટ મતદાન સિસ્ટમને શરૂ કરવાનું છે, પંચે આના માટે પ્રૉટોટાઇપ મલ્ટી કન્ટીટ્યૂએન્સી રિમૉટ ઇલેક્ટ્રૉનિકસ વૉટિંગ મશીન (RVM) ડેવલપ કર્યુ છે. 16 જાન્યુઆરીએ ચૂંટણી પંચ પ્રૉટોટાઇપ આરવીએમનો ડેમો તમામ રાજકીય પક્ષોને લાઇવ આપશે. ચૂંટણી પંચ કાયદેસરની, વહીવટી અને ટેકનિકલી પડકારોને અંગે પણ તમામ રાજકીય પક્ષો પાસેથી વિચાર માંગ્યો છે. બતાવવામાં આવ્યુ છે કે આરવીએમ એક રિમૉટ પૉલિંગ બૂથમાંથી કેટલાય ચૂંટણી પંચના ક્ષેત્રોને સંભાળી શકે છે.
ચૂંટણી પંચે શું કહ્યું –
ચૂંટણી પંચે કહ્યું કે, આ રિમૉટ વૉટિંગ સિસ્ટમનુ અસલ હેતુ પરસેન્ટેજમાં સુધારો અને ચૂંટણીમાં વધુમાં વધુ ભાગીદારીને નક્કી કરવાની દિશામાં છે. ચૂંટણી પંચે કહ્યું કે, વર્ષ 2019માં ચૂંટણીમાં 67.4 ટકા મતદાન થયુ હતુ, મતદાન પ્રક્રિયામાં લગભગ 30 કરોડ મતદારોએ મતદાન કર્યુ, આને લઇને ચૂંટણી પંચે ચિંતા વ્યક્તિ કરી હતી. પંચે કહ્યું કે ઘણાબધા કારણોસર મતદારો પોતાના ગૃહ રાજ્યનો છોડીને અન્ય જગ્યાએ જાય છે, આવામાં તે પોતાના મતદાન અધિકારનો ઉપયોગથી વંચિત રહી જાય છે, તેનો યોગ્ય ઉપયોગ નથી થઇ શકતો.